જાણો કંઈ આંગળીમાં ક્યો રત્ન પહેરવો તમારા માટે રહેશે શુભ, રાશિ અનુસાર જાણો તમારા માટે કયો રત્ન લાભદાયક રહેશે, થશે દરેક ઈચ્છાઓ પુરી

જાણો કંઈ આંગળીમાં ક્યો રત્ન પહેરવો તમારા માટે રહેશે શુભ, રાશિ અનુસાર જાણો તમારા માટે કયો રત્ન લાભદાયક રહેશે, થશે દરેક ઈચ્છાઓ પુરી

આપણે બધા જાણીએ છીએ કે આપણાં જીવનમાં એવી ઘણી ઘટનાઓ બનતી હોય છે જે આપણે સમજી શકતા અથવા જાણી શકતા નથી. પરંતુ જો આપણે જ્યોતિષવિદ્યામાં માનીએ, તો આ દ્વારા આપણી ભવિષ્યની ઘટનાઓ વિશે ઘણી માહિતી મેળવી શકીએ છીએ. આ સિવાય એવું પણ કહેવામાં આવે છે કે માનવ જીવનમાં જે કંઈ પણ થાય છે તે ક્યાંક ને ક્યાંક ગ્રહોના પ્રભાવને લીધે થાય છે અને તેથી જ આ ગ્રહોની ખામી દૂર કરવા માટે રત્ન પહેરવાનું સૂચન આપવામાં આવે છે. તેમ છતાં ઘણા પ્રકારનાં રત્ન છે. જે વિવિધ કાર્યો માટે સૂચવવામાં આવે છે, પરંતુ અમુક રત્નો વિશેષ હોય છે.

આજે અમે તમને એવા 9 રત્નો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને મોટા ભાગના જ્યોતિષીઓ દિવસ અને ગ્રહ પ્રમાણે આ રત્નો પહેરવાનું સૂચન કરે છે. કહેવાય છે કે રત્ન અનુસાર વીંટી પહેરવાથી ગ્રહોના દોષો દૂર થાય છે અને જીવનમાં ચાલતી દરેક સમસ્યાઓમાંથી મુક્તી મળે છે.

પરંતુ તે વાત પણ સાચી છે કે તમે આ રત્નો જાતે પહેરી શકતા નથી કારણ કે તેની અસર ઉલટી થાય છે, તમારા જીવનમાં ભૂકંપ પણ આવી શકે છે. જો તમારે કોઈ રત્ન પહેરવું હોય તો તમારે જ્યોતિષની સલાહ લેવી જજરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે કઈ રાશિ પ્રમાણે કયું રત્ન પહેરવું યોગ્ય માનવામાં આવે છે.

કર્ક

સૌથી પહેલા વાત કરી કર્ક રાશિના લોકોની, જેમના માટે શ્રેષ્ઠ રત્ન મોતી છે. તેને ચાંદીમાં પહેરીને બનાવવામાં આવે છે અને તે ઉપરાંત પરવાળા પણ પહેરી શકાય છે.

વૃષભ

વૃષભ રાશિના લોકોએ હીરા, સફેદ પોખરાજ અથવા નીલમણિને સોનાની વીંટીમાં જડાવીને ડાબા હાથની ત્રીજી આંગળીમાં પહેરવી જોઈએ.

મકર

જો મકર રાશિ હોય તો તેને નીલમ ડાબા હાથની બીજી આંગળીમાં સોનાની વીંટીમાં પહેરવી જોઈએ. જે શનિદેવની વેદનાથી રાહત આપશે. નીલમ શનિને શાંત કરવાનું કામ કરે છે અને સાથે જ મધ્યમ આંગળીમાં તમે શનિવારે નીલમ ધારણ કરી શકો છો.

કુંભ

જો તમે કુંભ રાશિના છો તો સોનાની વિટીમાં નીલમ જડાવીને ડાબા હાથની બીજી આંગળીમાં પહેરવાથી તમને ભૌતિક અને આધ્યાત્મિક સુખ મળે છે.

મીન

તમને જણાવી દઈએ કે મીન રાશિના જાતકો માટે પાલી પુખરાજ ડાબા હાથની પહેલી આંગળીમાં પહેરવાથી તે કલ્યાણકારી અને કર્મક્ષેત્રમાં ફળદાયી રહેશે.

મેષ

મેષ રાશિનો રત્ન છે મૂંગા, એને તાંબામાં જડાવવું જોઈએ અને ડાબા હાથની પ્રથમ આંગળી પર પહેરવું જોઈએ. આ સિવાય મોતી, ગાર્નેટ્સ, રૂબીઝ પણ પહેરી શકાય છે.

મિથુન

મિથુન રાશિના  લોકોએ પીળો પોખરાજ પહેરવો જોઈએ. તમારે તમારા ગ્રહોની શાંતી માટે નીલમણિ અને દૈનિક શાંતિ માટે પીરોજની વીંટી પહેરવી જોઈએ.

સિંહ

જો સિંહ રાશિની વાત કરીએ તો તેમણે માણેક રત્ન પહેરવો જોઇએ. આના દ્વારા તમે દરેક ક્ષેત્રમાં સૂર્યની જેમ ચમકશો. આ સિવાય નીલમણિ રત્ન પહેરવાથી પણ ફાયદો થાય છે.

કન્યા

આ રાશિના લોકોએ પન્ના, મોતી, હીરા, પીળો પોખરાજમાંથી કોઈપણ એક પહેરી શકાય છે, જે તમારા માટે ફાયદાકારક રહેશે.

તુલા

જો વાત કરીએ તુલા રાશિની તો પછી ડાબા હાથની ત્રીજી આંગળીમાં નીલમ અને બીજી આંગળીમાં સફેદ મૂનસ્ટોન પહેરવું શુભ માનવામાં આવે છે.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિના લોકોએ પીળા પોખરાજ અને રૂબી કોરલ, સોનું અથવા કોપર રિંગમાં પહેરીને હંમેશા સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

ધન

આ રાશિના જાતકોએ ડાબા હાથની પ્રથમ આંગળીમાં પોખરાજ પહેરવો જોઈએ. જે સુખ, સમૃદ્ધિ અને વિવાહિત જીવનમાં મદદરૂપ સાબિત થશે.

admin