હાથ અને પગમાં તમને વારંવાર ચડી જાય છે ખાલી, તો જલ્દીથી ઉપયોગ કરો આ ઉપાયનો મળશે રાહત, મોડું કરવાથી થઇ શકે છે ગંભીર સમસ્યાઓ..

હાથ અને પગમાં તમને વારંવાર ચડી જાય છે ખાલી, તો જલ્દીથી ઉપયોગ કરો આ ઉપાયનો મળશે રાહત, મોડું કરવાથી થઇ શકે છે ગંભીર સમસ્યાઓ..

સામાન્ય રીતે એક જ અવસ્થામાં લાંબા સમય સુધી બેસી રહેવામાં આવે તો ઘણી વાર શરીર ના હાથ તથા પગમાં ખાલી ચડી જાય છે. કારણ કે, એક જ અવસ્થામા લાંબા સમય બેસી રહેવાથી હાથ તથા પગની નસો દબાઈ છે અને ત્યાં યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન પહોંચી શકતો નથી. જેથી તે ભાગ સૂન્ન પડી જાય છે. આ સિવાય જો શરીરમાં આવશ્યક પોષકદ્રવ્યો ની ઉણપ સર્જાય તો પણ આ પ્રકારની સમસ્યા ઉદભવી શકે છે.

આ ઉપરાંત વધુ પડતુ સ્મોકિંગ અને દારૂ નું સેવન કરતા વ્યક્તિઓને પણ આ સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય ડાયાબીટીસના દર્દીઓને પણ ઘણીવાર આ સમસ્યામાંથી પસાર થવું પડે શકે છે. તો ચાલો આપણે જાણીએ કે જયારે આ સમસ્યા ઉદભવે ત્યારે શું કરવું.

જો તમી વારંવાર હાથ-પગમાં ખાલી ચડી જવાની સમસ્યાથી પીડાતા હોવ તો હળદરવાળા દૂધનું સેવન કરવું. કારણ કે, હળદરવાળા દૂધનું સેવન કરવાના લીધે શરીરમાં રકતનું પરિભ્રમણ વધુ સારી રીતે થાય છે.

આ સિવાય આ હળદરવાળા દૂધ માં મધ ઉમેરવામાં આવે તો તે પણ લાભદાયી સાબિત થઈ શકે છે. આ સિવાય જૈતૂનનું ઓઈલ તથા સરસવ ના ઓઈલ ને એક પાત્ર માં ગરમ કરીને આ ઓઈલથી હાથ-પગ ની યોગ્ય માલિશ કરવામાં આવે તો આ સમસ્યામાંથી રાહત મળે છે. શરીર ના જે ભાગ પર ખાલી ચડી જતી હોય ત્યાં વ્યવસ્થિત રીતે આ ઓઈલ ની માલિશ કરો.

જો તમને દરરોજ હાથ-પગમાં ખાલી ચડી જવાની સમસ્યાથી પીડાવ છો તો આ પીડા ને દૂર કરવા માટે નિયમિત હળવો વ્યાયામ કરવાની આદત પાડો. નિયમિત હળવો વ્યાયામ કરવાના લીધે આપણા તમારા શરીરને આવશ્યક પ્રમાણમાં ઓક્સિજન મળી રહેશે અને આ હાથ-પગમાં ખાલી ચડવાની સમસ્યા જડમૂળથી દૂર થઈ શકે છે. આ સિવાય નિયમિત ૨-૪ ગ્રામ જેટલા તજ પાવડરનું સેવન કરવાથી તમે આ સમસ્યા માંથી તુરંત મુક્તિ મેળવી શકો.

જો તમે તજ પાવડરમાં થોડું મધ ઉમેરીને તેનું સેવન કરો તો તમે આ હાથ-પગ માં ખાલી ચડવાની સમસ્યામાંથી આજીવન મુક્તિ મળશે. આ સિવાય હૂંફાળા પાણીનો પ્રયોગ પણ લાભદાયી છે. હૂંફાળા પાણીમાં તમારા હાથ અને પગ ને નિયમિત શેક આપવામાં આવે તો આ પગમાં ખાલી ચડી જવાની સમસ્યા ઉદભવતી નથી.

વારંવાર આ હાથ-પગ માં ખાલી ચડી જવાની સમસ્યા થી પીડાતા હોવ તો નિયમિત મેગ્નેશિયમયુક્ત આહારનું સેવન કરવું જોઈએ. જેથી આ સમસ્યા જડમુળ થી દૂર કરી શકાય. કાજુ, મગફળી, ડાર્ક ચોકલેટ, પાલક, કેળા, લીલોતરી શાકભાજી આ બધી વસ્તુઓ માંથી ભરપૂર પ્રમાણમાં મેગ્નેશિયમ મળી શકશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *