પોતાના સંતાનો માટે આટલા કરોડની સંપત્તિ છોડીને ગયા તારક મહેતાના નટુકાકા, જાણો કેટલી હતી તેની એક મહિનાની કમાણી..

પોતાના સંતાનો માટે આટલા કરોડની સંપત્તિ છોડીને ગયા તારક મહેતાના નટુકાકા, જાણો કેટલી હતી તેની એક મહિનાની કમાણી..

ટેલિવિઝનની પ્રખ્યાત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં નટ્ટુ કાકાનું લોકપ્રિય પાત્ર ભજવનાર ઘનશ્યામ નાયક હવે આપણી વચ્ચે નથી. 77 વર્ષની ઉંમરે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું. ઘનશ્યામ નાયકે ઘણી ટેલિવિઝન સિરિયલોમાં અભિનય કર્યો છે. આ સાથે તે ઘણી ફિલ્મોમાં પણ દેખાયા છે. ઘનશ્યામ નાયક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં નટવરલાલ પ્રભાશંકર ઉર્ફે નટ્ટુ કાકાની ભૂમિકા માટે જાણીતા હતા. ઘનશ્યામ નાયક લાંબા સમયથી કેન્સર સામે લડી રહ્યા હતા, જેના કારણે તેમણે આ દુનિયાને અલવિદા કહી દીધું.

ઘનશ્યામ નાયકના નિધનના સમાચારને કારણે ટીવી જગતથી ફિલ્મી જગતમાં શોકનું વાતાવરણ સર્જાયું હતું. મનોરંજન જગતના સેલેબ્સ સોશિયલ મીડિયા પર ઘનશ્યામ નાયકના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. તેમના નિધનના સમાચાર આવતા જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના ચાહકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. ટીવી ઉદ્યોગથી લઈને સિનેમા જગત સુધીના લોકો અને ચાહકો સોશિયલ મીડિયા પર સતત શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ઘનશ્યામ નાયક એવા કલાકાર હતા જેમણે તેમની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં ઘણો સંઘર્ષ કર્યો હતો પરંતુ તેમણે કોઈ પણ પરિસ્થિતિ સામે હાર માની ન હતી.

તમને જણાવી દઈએ કે ઘનશ્યામે ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં જેઠાલાલના સહાયકની ભૂમિકા ભજવી હતી. તે તેમની દુકાનમાં કામ કરતા હતા અને તેના વિનોદી જોક્સથી પ્રેક્ષકોને ખૂબ હસાવતો હતો. નટ્ટુ કાકા જે રીતે પોતાનું અંગ્રેજી બોલતા હતા, તે સાંભળીને લોકો હસતા હતા. ઘનશ્યામ નાયકના નિધનથી ચાહકો ભારે દુઃખી છે. 12 મે 1944 ના રોજ જન્મેલા ઘનશ્યામ નાયકે માત્ર ટીવી જગતમાં જ નામ નથી બનાવ્યું પરંતુ તેઓ ઘણી ફિલ્મોનો ભાગ પણ રહ્યા હતા.

અભિનેતા ઘનશ્યામ નાયકે લગભગ 100 ગુજરાતી અને હિન્દી ફિલ્મો સહિત 350 જેટલી હિન્દી ટેલિવિઝન સિરિયલોમાં કામ કર્યું. આ ઉપરાંત, તેમણે 100 થી વધુ ગુજરાતી સ્ટેજ નાટકોમાં પણ અભિનય કર્યો. તેમણે આશા ભોંસલે અને મહેન્દ્ર કપૂર જેવા માસ્ટર સાથે 12 થી વધુ ગુજરાતી ફિલ્મોમાં પ્લેબેક આપ્યું. નટ્ટુ કાકાએ પોતાની કારકિર્દીમાં 350 થી વધુ ગુજરાતી ફિલ્મો કામ કર્યું છે. તેમણે હિંદી ફિલ્મ એક ઔર સંગ્રામ અને ભોજપુરી ફિલ્મ બેરી સાવનમાં દિગ્ગજ અભિનેતા કન્હૈયાલાલ માટે પોતાનો અવાજ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે ઘનશ્યામ નાયકે બાળ કલાકાર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. વર્ષ 1960 માં, તેમણે બાળ કલાકાર તરીકે ફિલ્મ ‘મૌસમ’ માં પ્રવેશ કર્યો. ઘનશ્યામ નાયકે 1992 માં આવેલી ફિલ્મ ‘બેટા’ માં હવાલદારની ભૂમિકા ભજવી હતી, ત્યારબાદ તેને સતત કામ મળવાનું શરૂ થયું.

નટ્ટુ કાકાએ ખૂબ નાની ઉંમરથી અભિનયની શરૂઆત કરી હતી અને અભિનયમાંથી તેની પ્રથમ કમાણી માત્ર 3 રૂપિયા હતી. જ્યારે તે 1960 માં અભિનયમાં સક્રિય થયો, ત્યારે શરૂઆતમાં  90 રૂપિયા ફી મળતી હતી. ઘનશ્યામ નાયકે પોતાની મહેનત અને ઉત્કૃષ્ટ અભિનયને કારણે ઈન્ડસ્ટ્રીમાં નામની સાથે ઘણા પૈસા કમાયા છે.

ફિલ્મી સિયાપા નામની વેબસાઈટ અને News18 પ્રમાણે નટુકાકાનું 2021નું નેટવર્થ 3 કરોડ રૂપિયા છે. રિપોર્ટ પ્રમાણે તેમની માસિક આવક 7થી 8 લાખ રૂપિયા જેટલી હતી. ઘનશ્યામ નાયકને એક એપિસોડ માટે 30 હજાર રૂપિયાની આસપાસ પેમેન્ટ મળતું હતું. જે હિસાબથી તેમની વાર્ષિક આવક 70થી 80 લાખ સુધીની હતી.

આ મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમની વર્ષ 2017માં નેટવર્થ 1.8 કરોડ, 2018માં 2 કરોડ, 2019માં 2.2 કરોડ, 2020માં તેમનું નેટવર્થ 2.5 કરોડ રૂપિયા અને વર્ષ 2021માં તેમનું કુલ નેટવર્થ 3 કરોડ રૂપિયા હોવાનું  વેબસાઈટમાં જણાવવામાં આવ્યું છે. તારક મહેતા સિરિયલમાં તે ગડા ઇલેક્ટ્રોનિક્સમાં મેનેજરની ભૂમિકામાં જોવા મળ્યા હતા અને જેઠાલાલને તે વાંરવાર પગાર વધારવા માટેનું જણાવતા હતા.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *