પત્નીએ છૂટાછેડા માટે માંગ્યા 1 કરોડ રૂપિયા, પતિએ કંટાળીને નર્મદામાં ઝંપલાવ્યું, મોત પહેલા બનાવ્યો વીડિયો

પત્નીએ છૂટાછેડા માટે માંગ્યા 1 કરોડ રૂપિયા, પતિએ કંટાળીને નર્મદામાં ઝંપલાવ્યું, મોત પહેલા બનાવ્યો વીડિયો

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પતિએ નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. કારણ એ હતું કે પત્નીએ છૂટાછેડાના બદલામાં એક કરોડ રૂપિયા માંગ્યા હતા. પોલીસને મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

સાથે જ મૃતકે આત્મહત્યા કરતા પહેલા પોતાનો વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેણે તેના મૃત્યુનું કારણ જણાવ્યું હતું કે તે તેની પત્ની અને સાસરિયાઓ પરેશાન કરતા હતા. યુવકે 25 નવેમ્બરે નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. ત્રણ દિવસના સર્ચ ઓપરેશન બાદ પોલીસને તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

યુવકે નર્મદા નદીમાં ઝંપલાવ્યું

વાસ્તવમાં આ અનોખો કિસ્સો ખરગોન જિલ્લા મુખ્યાલયથી 80 કિલોમીટર દૂર બરવાહના નર્મદા પુલનો છે. અજય કુમાર દ્વિવેદી રીવાના રહેવાસી છે. તે 25 નવેમ્બરે તેના મિત્ર કૌશલ શુક્લા સાથે ઈન્દોરથી ઓમકારેશ્વર જઈ રહ્યો હતો. અહીં અજયે બરવાહના એક્વેડક્ટ બ્રિજ પર ફોટોગ્રાફી કરવાની ઈચ્છા દર્શાવ્યા બાદ બાઇક રોકી હતી.

જ્યારે તેનો મિત્ર કૌશલ ફોટોશૂટ માટે કેમેરા કાઢી રહ્યો હતો ત્યારે અજય ફરવાના બહાને આગળ ગયો અને અચાનક 40 ફૂટ ઊંચા પુલ પરથી નદીમાં કૂદી પડ્યો.

ત્રણ દિવસ પછી લાશ મળી

કૌશલને ખ્યાલ નહોતો કે અજય આવું કંઈક કરશે. બંનેએ ઈન્દોરની મહારાજા રણજીત સિંહ કોલેજમાં સાથે અભ્યાસ કર્યો હતો. સારા મિત્રો હોવાથી બંનેએ ઓમકારેશ્વર જવાનો પ્લાન બનાવ્યો હતો. થોડા દિવસો પછી અજયને નવી જોબ માં જોડવાનું પણ હતું. અજયના આપઘાતના સમાચાર મળતા જ પોલીસ અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસ અને ડાઇવર્સને લગભગ ત્રણ દિવસ પછી અજયનો મૃતદેહ મળ્યો.

પિતા પુત્રને ગળે લગાવીને ખૂબ રડ્યા

અજયના પિતા પ્રમોદ દ્વિવેદી પુત્રના મૃતદેહને ગળે લગાવીને ખૂબ રડ્યા હતા. તે રીવા જિલ્લાના સિરમૌરમાં ડેપ્યુટી રેન્જર છે. પોલીસે પંચનામા કરી લાશને પોસ્ટમોર્ટમ માટે બરવાહ સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી. અજયના પિતાએ આરોપ લગાવ્યો હતો કે ‘દીકરાના સાસરિયાઓએ અમારી સામે દહેજનો ખોટો કેસ દાખલ કર્યો હતો અને હવે કેસ ઉકેલવાના બદલામાં પૈસાની માંગણી કરીને અમને હેરાન કરી રહ્યા હતા. આ કારણે મારા પુત્રએ આત્મહત્યા કરી છે.’

સુસાઈડ નોટમાં પત્નીનું નામ લખ્યું છે

બીજી તરફ અજયની બાઇકની ડિક્કીમાંથી પોલીસને સુસાઇડ નોટ મળી આવી હતી. આ નોટમાં અજયે લખ્યું છે કે, ‘મારા મૃત્યુ માટે ગુરુ પ્રસાદ તિવારી, પ્રાર્થના તિવારી, પ્રિન્સ તિવારી, રમા તિવારી જવાબદાર છે. આ લોકો મારી અને મારા પરિવાર વિરુદ્ધ ત્રણ વર્ષથી કેસ નોંધીને એક કરોડ રૂપિયાની માંગ કરી રહ્યા હતા. તેમનાથી કંટાળીને જ મેં આ પગલું ભર્યું છે.

આપઘાત કરતા પહેલા બનાવેલ વિડિયો

અજયે પોતાનો એક વીડિયો પણ બનાવ્યો હતો. આમાં તેણે કહ્યું હતું કે ‘મારા મૃત્યુ માટે જવાબદાર પ્રાર્થના તિવારી છે. તેણે મારા પરિવાર સામે 3 વર્ષથી કેસ દાખલ કર્યો છે. કાકા સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જોકે તેમના મારા પરિવાર સાથે બહુ ઊંડો સંબંધ નથી. આ કેસ ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. કેસના સમાધાન માટે મારી પાસેથી એક કરોડની માંગ કરવામાં આવી રહી છે. બધાએ ઘણું આયોજન કર્યું છે. હવે હું કંટાળીને આત્મહત્યા કરી રહ્યો છું. હું જજ સાહેબને પ્રાર્થના કરું છું કે આવા લોકોને સજા થવી જોઈએ.’

આ અંગે બરવાહ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જગદીશ ગોયલે જણાવ્યું કે 25 નવેમ્બરે એક યુવકે નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. સ્થાનિક ડાઇવર્સ દ્વારા તેની શોધ કરવામાં આવી હતી. યુવક ઈન્દોરમાં રહેતો હતો અને શેરબજારમાં કામ કરતો હતો. તેનો તેની પત્ની સાથે થોડો વિવાદ ચાલતો હતો. મામલો કોર્ટમાં પણ હતો, તેનાથી કંટાળીને તેણે આ પગલું ભર્યું હતું. તેની બાઇકની ડિક્કીમાંથી એક સુસાઇડ નોટ મળી આવી હતી. અમે હવે તપાસ કરી રહ્યા છીએ, જે બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરીશું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *