ઉંદરે કોતરી નાખ્યા બેગમાં મુકેલા 2 લાખ રૂપિયા, ગરીબ ખેડૂતે પેટનું ઓપરેશન કરાવવા માટે ભેગા કર્યા હતા પૈસા

ઉંદરે કોતરી નાખ્યા બેગમાં મુકેલા 2 લાખ રૂપિયા, ગરીબ ખેડૂતે પેટનું ઓપરેશન કરાવવા માટે ભેગા કર્યા હતા પૈસા

આજના મોંઘવારીના સમયમાં ખુબ મહેનત કરીએ ત્યારે પૈસા ભેગા થાય છે. ઘણી વખત લોકો પોતાના ખરાબ સમય માટે ઉપયોગ થઈ શકે માટે કેટલાક પૈસા બચાવી રાખે છે, આવી સ્થિતિમાં જો તેની સાથે કોઈ છેતરપિંડી થાય અથવા તેના પૈસા ચોરાઈ જાય તો તે ઘણું દુઃખ થાય છે.

દરેક વ્યક્તિએ કોઈ ને કોઈ સમયે નુકશાનના ઘણા કિસ્સા જોયા અને સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને આ લેખમાં એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ આશ્ચર્યજનક છે અને તેના વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થાય છે. આજે અમે તમને આવા એક ગરીબ ખેડૂત વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમની જિંદગીની સાચવેલી મૂડી ઉંદરો દ્વારા વેડફાઈ ગઈ હતી.

ખેડૂતે પેટના ઓપરેશન માટે 2 લાખ જમા કરાવ્યા હતા પણ ઉંદરોને કારણે બધુ જ બરબાદ થઈ ગયું. આ ઘટના તેલંગાણા રાજ્યના ઇન્દિરાનગરના વેમાનુર ગામની છે. જ્યાં એક નાના ખેડૂત શાકભાજી વેચીને પેટના ઓપરેશન માટે 2 લાખ ભેગા કર્યા હતા.

ખેડૂતના જણાવ્યા મુજબ તેણે શાકભાજી વેચીને અને સંબંધીઓ પાસેથી લોન લઈને આ પૈસા જમા કરાવ્યા હતા. તેણે બધા પૈસા કપડાની થેલીમાં અલમારીમાં મૂકી દીધા હતા. જોકે, જ્યારે તેમાં પૈસા જોવા માટે અલમારી ખોલવામાં આવી ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બેગમાં મુકેલા બધા પૈસા ઉંદરો દ્વારા દ્વારા કાપવામાં આવ્યા હતા. આ ઘટના પછી ખેડૂતે હાર ન માની અને ઘણી બેંકોની મુલાકાત લીધી પણ બધાએ તેની મદદનો ઇનકાર કર્યો હતો. બેંકોના જણાવ્યા અનુસાર, રિઝર્વ બેંકની નીતિ અનુસાર જૂની વિકૃત નોટોને બદલવાનો નિયમ છે. પરંતુ આ પ્રકારની કાપલી નોટો ને બદલવી કોઈ પણ વિકલ્પ નથી.

આ પછી, પરિસ્થિતિને કારણે રેડ્ડી નાયકને કેટલીક બિઝનેસ સંસ્થાઓ દ્વારા આ બાબતને રિઝર્વ બેંક ઓફ હૈદરાબાદ પાસે લેવાની સલાહ આપવામાં આવી છે. જો કે, અત્યાર સુધીની પરિસ્થિતિ અનુસાર ગરીબ ખેડૂતોની નોટો બદલાવવાની શક્યતા નહિવત છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *