અયોધ્યામાં પંખાથી લટકતી જોવા મળી મહિલા અધિકારી, સ્યુસાઇડ નોટમાં જણાવી પોતાની આપવીતી..

અયોધ્યામાં પંખાથી લટકતી જોવા મળી મહિલા અધિકારી, સ્યુસાઇડ નોટમાં જણાવી પોતાની આપવીતી..

દેશભરમાં આત્મહત્યાના કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. લોકો પોતાના જીવનથી કંટાળીને આત્મહત્યા જેવું મોટું પગલું ભરે છે. ક્યારેક તેમના મૃત્યુનું કારણ કોઈ એવી વ્યક્તિ હોય છે જે તેમને ખુબ જ પરેશાન કરે છે. જ્યારે મન પર માનસિક દબાણ આવે છે ત્યારે મોટા મોટા બુદ્ધિશાળી લોકો પણ આત્મહત્યા કરવા મજબૂર બને છે.

હવે ઉત્તર પ્રદેશના અયોધ્યાના આ દુઃખદ કિસ્સાને જ લઈ લો. અહીં એક મહિલા અધિકારીએ પોતાના જીવન સમાપ્ત કર્યું છે. મરતા પહેલા તેણે સુસાઈડ નોટમાં આઈપીએસ ઓફિસરનું નામ પણ લખ્યું હતું. આવો જાણીએ આ સમગ્ર ઘટનાને વિગતવાર.

બેંકમાં પીઓ હતી મહિલા અધિકારી

આ ઘટના અયોધ્યાના કોતવાલી નગરના ખવાસપુરા વિસ્તારની છે. મૃતકનું નામ શ્રદ્ધા ગુપ્તા છે. તે 28 વર્ષની હતી. તે પંજાબ નેશનલ બેંક (PNB બેંક)માં PO (પ્રોબેશનરી ઓફિસર)ની પોસ્ટ પર હતી. શ્રદ્ધાનું વતન લખનૌ હતું, પરંતુ નોકરીના કારણે તે અયોધ્યામાં રહેતી હતી.

પંખાથી લટકતી મળી લાશ

શુક્રવારે મોડી રાત્રે શ્રદ્ધાએ આત્મહત્યા કરી લીધી હતી. આ માટે તેણે પોતાની જાતને પંખા પર લટકાવી લીધી. આપઘાતની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેઓએ મૃતદેહને પંખામાંથી નીચે ઉતારીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ દરમિયાન પોલીસે શ્રદ્ધાના રૂમની પણ તલાશી લીધી હતી. તેઓને ટેબલ પર એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. આ સુસાઈડ નોટમાં શ્રદ્ધાએ શું લખ્યું છે તે વાંચીને પોલીસ-વહીવટ અધિકારીમાં દોડધામ મચી ગઈ હતી.

સુસાઈડ નોટમાં લખ્યું છે આઈપીએસ અધિકારીનું નામ

શ્રદ્ધાએ પોતાની સુસાઈડ નોટમાં આઈપીએસ ઓફિસર આશિષ તિવારી સહિત ત્રણ લોકોના નામ લખ્યા છે. તેણે પોતાના મૃત્યુ માટે આ લોકોને જવાબદાર ઠેરવ્યા. શ્રદ્ધાએ સુસાઈડ નોટમાં જણાવ્યું કે હું મારા જીવનથી કંટાળી ગઈ છું. મને હવે જીવવાનું મન થતું નથી. આ સાથે તેણે આઈપીએસ ઓફિસર આશિષ તિવારી અને અન્ય લોકો પર આરોપ લગાવ્યો કે આ બધા મને ખૂબ પરેશાન કરે છે. તેથી જ હું મારા જીવનનો અંત આણી રહી છું.

પીડિતાના પરિવારે સીએમ યોગીને ન્યાયની અપીલ કરી

પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. બીજી તરફ જ્યારે શ્રદ્ધાના પરિવારજનોને દીકરીના મોતના સમાચાર મળ્યા તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. દરેક લોકો ખુબ જ રડી રહ્યા હતા. દિવાળીના આગમન પહેલા જ ઘરમાં દુઃખના વાદળો છવાય ગયા હતા. આ પરિવાર પોતાની દીકરીને છેલ્લી વાર જોવા માટે લખનૌથી અયોધ્યા આવ્યો હતો. અહીં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ મામલે ન્યાયની અપીલ કરી છે.

દિવાળી પછી હતા લગ્ન

દિવાળી પછી શ્રદ્ધાના લગ્ન થવાના હતા. ઘરમાં લગ્નની તૈયારીઓ પણ ચાલી રહી હતી. એક વર્ષ પહેલા તેના સંબંધ બલરામપુર જિલ્લાના ઉતરૌલાના રહેવાસી વિવેક ગુપ્તા સાથે નક્કી થયો હતો. વિવેક લખનૌમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *