બેફામ દોડતી લક્ઝુરિયર્સ કાર પુલ સાથે અથડાતા બે ટૂકડા થઈ ગયા, દેરાણી-જેઠાણી સહિત 3નાં થયા મોત..

તાજેતરમાં મધ્યપ્રદેશ ના છિંદવાડામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રામકોણાથી પરત આવી રહેલી ગાડી પુલ સાથે પ્રચંડ ટક્કર ગઈ હતી, જેના પરિણામે ગાડીના 2 ટૂકડા થઈ ગયા હતા. આ અકસ્માતમાં 3 મહિલાઓના ઘટનાસ્થળ પર મોત નીપજ્યાં, જ્યારે અન્ય 2 લોકોની હાલત ગંભીર જણાય રહી છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે નાગપુર ખસેડવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા મુજબ, સૌંસરનો રહેવાસી સચિન જયસ્વાલ પોતાના પરિવાર સાથે એક લગ્ન પ્રસંગમાં ભાગ લેવા રામકોણા ગયો હતો. શુક્રવારે તે પોતાની ગાડી લઈને પરત આવી રહ્યા હતા.
આ દરમિયાન નાગપુર રોડ નજીક ડ્રીમ હોટલ પાસે બાઇક સવાર તેમની કારની સામે આવી ગયો હતો. એને બચાવવાના પ્રયાસમાં સચિન જયસ્વાલે પોતાનો કાબૂ ગુમાવ્યો અને ગાડી પુલ સાથે અથડાઈ ગઈ હતી.
આ દુર્ઘટનામાં સૌંસરની રહેવાસી રોશની, માધુરી અને પ્રિયાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જયારે કાર ચાલક સચિન જયસ્વાલ અને નીલમ જયસ્વાલને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બંનેને ગંભીર હાલતમાં નાગપુરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર રામકોણામાં સાંજે લગ્ન પ્રસંગ હતો, જેમાં સામેલ થવા માટે કારમાં સવાર પરિવારના સભ્યો સોંસર જઈ રહ્યા હતા. ત્યાંથી તૈયાર થયા બાદ સાંજ સુધીમાં એમણે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું હતું.