જાણી લો મણકાની ગાદી ખસી જવી અને તેનાથી થતાં કમર અને પગના દુખવાનો સૌથી સરળ દેશી ઈલાજ

જાણી લો મણકાની ગાદી ખસી જવી અને તેનાથી થતાં કમર અને પગના દુખવાનો સૌથી સરળ દેશી ઈલાજ

આજના સમયમાં બદલાયેલી જીવનશૈલી અને હલનચલનને લીધે કમરની ગાદીના ઘસારા અને તેને લીધે કમરના દુ:ખાવાનું પ્રમાણ લોકોમાં વધી રહ્યું છે. આ દુ:ખાવાને દૂર કરવા માટે અસરકારક સારવારથી સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આ દુ:ખાવાને દૂર કરવા માટે સામાન્ય રીતે બે રીતથી સારવાર થાય છે. પહેલી છે એક્ટિવ અને બીજી છે પેસીવ.

એક્ટિવ સારવાર એટલે કસરત, અને ઘરેલુ ઉપચાર વગેરે અને જયારે પેસીવ સારવાર એટલે દુ:ખાવાની દવા, લેસર થેરાપી, અલ્ટાસાઉન્ડ થેરાપી, ઇપોડયુરલ, મસાજ થેરાપી વગેરે. આજે આપણે આ લેખમાં એક્ટિવ એટલે કે આ સમસ્યાને દૂર કરવાના ઘરેલુ ઉપચાર વિશે જાણીશું.

મોટા ભાગના દર્દીઓએ કમરની કસરતોની મદદથી પોતાની જાતે જ ખસી ગયેલી ગાદી જોડાવવાની પ્રક્રિયા (સેલ્ફ હીલિંગ)ને ફાસ્ટ કરી દુ:ખાવામાં રાહત મેળવી શકે છે. કમરની કસરતો આપણી જરૂરિયાત છે. જેમ આપણે રોજ જમીએ છીએ એવું સમજી દર્દી કસરત કરે તો થોડા જ સમયમાં એના ખૂબ જ સારાં પરિણામો મળી શકે છે.

કમરની કસરતોમાં મોટાભાગે કમરની આસપાસનાં સ્નાયુઓનાં સ્ટ્રેચિંગ, સ્થેન્થનિંગ (મજબુતાઈની કસરતો), લો-ઇમ્પેકટ એરોબિકસ વગેરે જેવી કસરતો કરવી જોઈએ. આ કસરત કરવાથી મણકાની ખસી ગયેલી ગાદીની સમસ્યામાં ઓપરેશન કરાવવાની જરૂર નહીં પડે અને આસાનીથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

કમરની દુખાવો ઘટાડવા માટે ઘણી આયુર્વેદિક દવાઓ ઉપલબ્ધ છે. જેમાં અશ્વગંધા ચુર્ણ, શુદ્ધ શીલાજીત, બાલારિષ્ટા વગેરે તેમજ ગ્લુકોસામાઇન હાઇડ્રોક્લોરાઇડ અને બેસવેલિયા સેરોસા પીઠના દુખાવાના નિવારણમાં લાભદાયક બને છે. પરંતુ આ ઔષધિનો ઉપયોગ સાવચેતી પૂર્વક કરવો જોઈએ.

કમરના દુખાવાની સમસ્યા માટે દશમૂલનો ઉકાળો સવારે અને સાંજે પાણીમાં મિક્સ કરીને પીવો જોઈએ. ઘઉંના દાણાને રાત્રે પાણીમાં પલાળી રાખો અને સવારે દૂધમાં ખસખસ અને કોથમીર નાખી એની ચટણી બનાવો અને અઠવાડિયામાં બે વાર આ ચટણી ખાવાથી પીઠનો દુખાવો ઘટે છે  અને શરીરના શક્તિનું પ્રમાણ પણ વધે છે.

આ સિવાય જે લોકો ખૂબ જ ધુમ્રપાન કરે છે. જો તેને બંધ કરી દેવામાં આવે તો શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે. અને હીલિંગ પ્રક્રિયા ઝડપી બની શકે છે. જે વ્યક્તિ લાંબા સમયથી ધ્રુમપાન કરતા હોય છે. તેઓને કમરના દુ:ખાવાની તકલીફો રહેતી હોય છે. માટે કમરની આ સમસ્યા માંથી રાહત મેળવવા માટે ધુમ્રપાન સંપૂર્ણપણે બંધ કરવું ફાયદાકારક છે.

કમરના દુખાવામાં સારવાર કરવામાં લસણ મદદ થઈ શકે છે. ખાલી પેટ પર દરરોજ સવારે લસણની બે થી ત્રણ કળી ખાઓ. અથવા તો પીઠ પર લસણના તેલથી માલિશ પણ કરી શકો છો. અસરગ્રસ્ત વિસ્તારમાં થોડી આદુની પેસ્ટ લગાવું જોઈએ. તેને 15 મિનિટ માટે એમ જ છોડી દો, પછી તેને દૂર કરો. થોડા દિવસો માટે આ ઉપાય દરરોજ આ કરો. આ ઉપાય કમરની પીડા મટાડશે.

જે વ્યક્તિનું વજન વધારે હોય અને તેમને કમરનો દુ:ખાવો રહેતો હોય તો તેઓ એ વજન ઊતરવું જોઈએ. વજન ઘટાડીને તે કમરના ખસિગયેલા મણકા, આસપાસના સ્નાયુ તથા લિગામેન્ટ પરનું ભાર ઘટાડી શકે છે અને કમરના દુ:ખાવામાં આસાનીથી રાહત મળી શકે છે.

મણકાની ગાદી ખસવા પર વજન ઊંચકવામાં સાવચેતી રાખવી ખુબ જ જોઈએ. જેવી કે કમરમાંથી વાંકા ન વળવું, ઘુંટણમાંથી વાંકા વળી વજન ઊંચકવું, સારા ફુટવેર વાપરવા, લાંબાં સમય સુધી એકની એક જગ્યાએ બેસી રહેવું ન જોઈએ. આ સાવચેતીથી પણ કમરના દુ:ખાવામાં ખૂબ જ રાહત મળી શકે છે. કમરની ગાદી પાછળ ખસી જવાના કારણે પગ માં જતી નસ દબાઈ જવાથી સાયેટીકાનો દુઃખાવો પણ થઇ શકે છે.

નગોડના તાજા પાનના ટુકડા કરો, મહાનારાયણ તેલથી તાવડીમાં સહેજ બદામી રંગના થાય ત્યાં સુધી સાંતળી લેવાં. ત્યાર પછી એક કપડાના ટુકડામાં સાંતળેલાં પાનને વચમાં મૂકી તેના ચારેય છેડા અંદર વળે એવી રીતે ભેગા કરી પોટલી બનાવવી જોઈએ. આ પોટલીને, સહન થાય તેવા ગરમ મહાનારાયણ તેલમાં ડુબાડીને, નિતંબથી ક્રમશઃ પગની એડી સુધી શેક કરવો જોઈએ. આ શેક આરામ થાય ત્યાં સુધી દરરોજ અડધો પોણો-કલાક કરવાથી તમને રાહત મળે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *