જયારે વિટામીન B12 ઘટે છે ત્યારે આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

જયારે વિટામીન B12 ઘટે છે ત્યારે આપણું શરીર આ સંકેતો આપવાનું શરુ કરે છે

આપણા શરીરમાં વિટામીન B12 ખુબ જ ઉપયોગી છે. આજના સમયમાં મોટાભાગના લોકોને આ વિટામીનની લગભગ ઉણપ જોવા મળે છે. આ વિટામીન આપણા શરીરમાં જો ઓછુ થાય તો આપણા શરીરમાં અનેક તકલીફો ઉભી કરી શકે છે.

જ્યારે  વિટામીન B12 શરીર માં ઘટે છે ત્યારે તેના સંકેતો જોવા મળતા હોય છે. આ સંકેતો વિટામીન B12ની ઉણપના લક્ષણો સ્વરૂપે જોવા મળતા હોય છે. અને આ વિટામીન શરીરમાં ઘટે તો તેના માટે આપણે વિટામીન B12ની ગોળીઓ કે ઇન્જેક્શન વગેરે લેવા પડતા હોય છે.

જયારે આ વિટામીન B12ના લક્ષણો શરીરમાં જોવા મળે ત્યારે તમારે ખુબ જ ગંભીરતાથી લઈને આ ઉણપ દૂર કરવાનો પ્રયાસો કરવા જોઈએ. શરીરમાં આ ઉણપથી અનેક રોગો પણ આવી શકે છે અને આવનારા સમયમાં ગંભીર સમસ્યા ઉભી થઈ શકે છે. ખોરાકમાં બદલાવ અને અમુક પ્રયોગો કરીને આ ઉણપને દૂર કરી શકાય છે.

વિટામીન B12 ની ઉણપ ના લીધે શરીરમાં સુન્નતા આવે છે. કોઈ અંગ જકડાય જાય છે અને વારંવાર ખાલી ચડવાની સમસ્યાઓ ઉભી થઈ શકે છે. હાથ પગ કે કોઈ શરીરના અંગમાં કોઈ કારણ વગર ખાલી ચડવા માંડે તો સમજી લેવું કે તમને વિટામીન વિટામીન B12ની ઉણપ છે. ક્યારેક શરીરના અંગ ઉપર કોઈ સોય મારતું હોય તેમજ ખૂંચતું હોય તેવો અહેસાસ પણ થાય છે. આ લક્ષણ વિટામીન B12ની ઉણપ જણાવે છે. જો તમને વારંવાર આવું થઇ રહ્યું હોય તો વિટામીન B12નો રીપોર્ટ કરાવી લેવો જોઈએ.

શરીરમાં નબળાઇ વિટામિન બી 12 નો અભાવ પણ સૂચવે છે. શરીરમાં કારણ વગરની અચાનક નબળાઈ લાગે, માંસપેશીઓમાં નબળાઈ અનુભવાય અને જેને લીધે માથાનો દુખાવો, ખાલીપણું અનુભવાય. આ પ્રકારના લક્ષણો જોવા મળે તો એ વિટામીન બી 12 ની ઉણપ બતાવે છે. જેથી જલ્દી રીપોર્ટ કરાવી લેવો જોઈએ જેથી વધારે સમસ્યા થતી અટકાવી શકાય.

જીભમાં પણ વિટામીન B12ના લક્ષણો જોવા મળે છે. જો જીભમાં ચાંદા પડે, ચીકણાપણું જોવા મળે, સોજો આવે, નાના નાના દાણા જેવું જોવા મળે તો તે વિટામીન B-12 ની ઉણપ હોવાના લક્ષણ છે.

ઘણા લોકો વધારે પ્રમાણમાં વિટામીન B12નું સેવન ગોળીઓ કે ઇન્જેક્શન સ્વરૂપે લેતા હોય છે. જેના લીધે પણ માથાનો દુખાવો, ઉલટી, બેચેની, મંદાગ્નિ, અરુચિ આવી અનેક સમસ્યા પણ થઈ શકે છે. માટે આવી દવાજગુરુ મુજબ લેવી જોઈએ.

જેમ જેમ વ્યક્તિની ઉમર વધે છે તેમ તેમ વિટામીનનું શરીરમાં અવશોષણ કમજોર થવા લાગે છે. માટે આ સમયે ખોરાકમાંથી પર્યાપ્ત માત્રામાં વિટામીન મળે તેવો ખોરાક જરૂર લેવો જોઈએ. માટે જે ખોરાક વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ જે ફળો અને ખોરાક કે શાકભાજીમાંથી મળે તેવા ખોરાકની સેવન કરવું જોઈએ. જેમાં કુદરતી રીતે વિટામીન હોય છે જેના લીધે ધીરે ધીરે મળતા તેનો શરીરમાં વધારો થતો નથી. મોઢામાં, જીભમાં જો વારંવાર ચાંદા પડવા એ વિટામીન બી ૧૨ ની ઉણપનું લક્ષણ હોઈ શકે છે.

જો તમને સામાન્ય કરતા વધારે ઠંડી લાગે તો વિટામિન બી 12 ની ઉણપથી લોહીના પ્રમાણમાં ઘટાડો થઈ શકે છે. આ સમયે લોહીની કોશિકાઓને પર્યાપ્ત પ્રમાણમાં ઓક્સીજન મળતો બંધ થઇ જાય છે. જેના લીધે હાથ પળમાં ઠંડકનો અનુભવ થાય છે. હાથ પગ ઠંડા પડી જાય છે.

વિટામીન B12ની ઉણપ ના લીધે મસ્તિષ્કની કાર્ય પ્રણાલીમાં પરિવર્તન જોવા મળે છે. વિટામીન B12ની ઉણપ હોય તો ભ્રમ, સ્મૃતિ નબળાઈ, ચક્કર આવવા જેવી અનેક સમસ્યાઓ જોવા મળે છે. જો પૂરતા પ્રમાણમાં વિટામીન B12 ખોરાકમાંથી ન મળે તો આ સમસ્યા થાય છે.

વિટામીન ઘણા ખોરાકમાંથી પણ મળે છે અને ફળોમાંથી પણ મળે છે. ખાસ કરીને આથાવાળા ખોરાક, ફણગાવેલા કઠોળ, દુધ અને દુધની બનાવટો તેમજ માંસાહારમાંથી મળે છે. આ માટે સૌથી અગત્યનું છે કે દુધનું સેવન કરવું જોઈએ. મધમાંથી પણ સારી પ્રમાણમાં વિટામીન B12 મળે છે.

વિટામીન B12ની ઉણપથી બચવા માટે બહારનું ખાવાનું છોડી દેવું જોઈએ. બહારનું તીખું, મેંદાવાળું, બ્રેડ, તળેલું, જામ આવી વસ્તુઓ હોય તેવો ખોરાક ન લેવો જોઈએ. આ સહીત ઠંડા પીણા, બહારનો બંધ ખોરાક, ફાસ્ટફૂડ, આઈસ્ક્રીમ, ચોકલેટ આ વધુ ન લેવું જોઈએ. જો બંધ ન કરી શકાય તેમ હોય તો તેનું પ્રમાણ ધીરે ધીરે ઘટાડી દેવું જોઈએ.

વિટામીન B12 સુકામેવામાંથી પણ મળે છે. જેથી સુકામેવાનું સેવન કરવું, તાજું અને સુપાચ્ય ભોજન કરવું. લીલા શાકભાજી લેવા અને તેનો ખોરાકમાં ઉપયોગ કરવો. ખોરાકમાં વિટામીનમાં દુધની બનાવટમાં દહીંનું સેવન કરવું જોઈએ. દહીંમાં પણ સારી માત્રામાં વિટામીન B12 જોવા મળે છે.

શરીર ને સ્વસ્થ અને નીરોગી રાખવા માટે પ્રથમ આપણી હોજરી સ્વસ્થ રહેવી જોઈએ. આપણને કબજીયાતનો રોગ ન હોવો જોઈએ. જો પાચન તંત્ર ઠીક હશે તો આપણું શરીર વિટામીનને ખોરાકમાં શોષી શકે છે. શરીરને પુરતા પ્રમાણમાં ખોરાક અને વિટામીન મળે તો જ શરીરમાં શક્તિ મળે છે.

આમ, આપણા શરીરમાં વિટામીન B12ની ઉણપ હોય તો ઉપરોક્ત લક્ષણો જોવા મળે છે. ઉપરોક્ત બતાવેલા લક્ષણો જો તમારા શરીરમાં જોવા મળે તો તમારે રીપોર્ટ કરાવી લેવો જોઈએ. આ રીપોર્ટ કરીને તમે શરીરમાં રહેલી વિટામીન 12ની ઉણપને ચકાસી શકો છો. અમે આશા રાખીએ કે આ માહિતી તમારા માટે ખુબ જ ઉપયોગી થાય.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *