જાણી લો છાશ પીવાના ફાયદાઓ

જાણી લો છાશ પીવાના ફાયદાઓ

ઉનાળાની ઋતુમાં છાશનું સેવન ભારત માં ચોક્કસપણે કરવામાં આવે છે. દૂધની ક્રીમમાંથી માખણ કાઢવામાં આવે છે અને માખણના નિષ્કર્ષણ દરમિયાન છાશ બનાવવામાં આવે છે. છાશ નો સ્વાદ લસ્સીની જેવો હોઈ છે. છાશમાં પોટેશિયમ, વિટામિન બી 12, કેલ્શિયમ, રેબોફ્લેવિન અને ફોસ્ફરસ વધુ પ્રમાણમાં હોય છે અને આ બધા તત્વો શરીર માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. દૂધ કરતાં છાશ વધુ ગુણકારી છે.

છાશ નું સેવન કરવાથી શરીર હંમેશા રોગોથી મુક્ત રહે છે. જાણો તેના ફાયદાઓ

પેટમાં બળતરા દૂર કરે

પેટ અથવા છાતીમાં બળતરાના સમયમાં છાશ પીવો. છાશ પીવાથી પેટ અને છાતીમાં બળતરા એકદમ અદૃશ્ય થઈ જશે. છાશમાં જોવા મળતા તત્વો શરીરને અંદરથી ઠંડુ રાખે છે અને તેને પીવાથી બળતરાથી છુટકારો મળે છે. જે લોકો વધુ મસાલેદાર ખોરાક લે છે તેઓએ નિશ્ચિતપણે છાશ પીવી સહેત માટે ફાયદાકારક છે.

ગરમી નો લાગે

ઉનાળાની ઋતુમાં છાશ ના ફાયદા ખૂબ અસરકારક છે. જે લોકો છાશ પીવે છે તેમને ગરમીનો અનુભવ ઓછો થાઈ છે અને શરીરનું તાપમાન ગરમ નથી. ઉનાળામાં લુ નો શિકાર બને છે અને લુ આવે ત્યારે ચક્કર આવે છે. લુ થી બચવા માટે દરરોજ એક ગ્લાસ છાશ પીવી જોઈએ. છાશપીવાથી શરીર ઠંડુ રહે છે અને લુ નથી લાગતી.

હાડકાં સ્વસ્થ રહે

છાશ પીવાથી હાડકા નબળા પડતા નથી અને અંદર થી મજબૂત રહે છે. એક ગ્લાસ છાશ હાડકાં મજબૂત રાખવા માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. છાશની અંદર કેલ્શિયમ હોય છે અને તંદુરસ્ત હાડકાં માટે કેલ્શિયમ સારું માનવામાં આવે છે.

કબજિયાતથી રાહત

કબજિયાતને કારણે પેટ ભારે થઈ જાય છે અને ઘણી વખત પેટમાં દુખાવો પણ થાઈ છે. જો તમને પણ કબજિયાત હોય તો દરરોજ એક ગ્લાસ છાશ પીવો. છાશ પીવાથી કબજિયાત દૂર થાઈ છે અને પેટ હળવું બને છે. અને પાચન ક્રિયામાં પણ સુધારો થાઈ છે.

અલ્સર દૂર કરે

છાશ પીવામાં આવે તો અલ્સરની સમસ્યા હોય તો રાહત મળે છે. અને પેટ અંદરથી ઠંડુ રહે છે.

ડાધ ધબા માં રાહત આપે

ચહેરા પર છાશ લગાવવાથી દાગના ફોલ્લીઓ પણ દૂર થઈ જાય છે. જો ચહેરા પર દાગ હોઈ તો કપાસની મદદથી ચહેરા પર છાશ લગાવો. તેને 15 મિનિટ સુધી ચહેરા પર છાશ રાખો. જ્યારે તે સુકાઈ જાય છે. ત્યારે પાણીની મદદથી ચહેરો સાફ કરો. ચહેરા પર છાશ લગાવવાથી દાગ દૂર થાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *