ઘણી બીમારીઓનો ઈલાજ છે આ વૃક્ષ, આના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો વૃક્ષ વિશે

ઘણી બીમારીઓનો ઈલાજ છે આ વૃક્ષ, આના ફાયદાઓ જાણીએ તમે પણ રહી જશો દંગ, અચૂક જાણો વૃક્ષ વિશે

પારિજાતના છોડ આપણે ત્યાં ઘણી જગ્યાએ જોવા મળે છે. એના ફૂલ સફેદ રંગના અને નાના હોય છે. આ ફૂલ રાત્રે ખિલે છે અને સવારે છોડ પરથી જાતે જ પડી જાય છે. પારિજાતક ગુણમાં પિત્તદ્રાવક, શામક, યકૃત ઉત્તેજક, ત્વકૃદોષહર તથા કૃમિઘ્ન છે. એ કફઘ્ન, બલ્ય, તિકત, જ્વરઘ્ન તથા મૃદુરેચક છે. તો ચાલો આપણે જાણીએ પારિજાતના ફાયદાઓ વિશે.

પારિજાતના 7 થી 8 પાંદડા કાઢીને પીસી લો. ગ્રાઇન્ડીંગ પછી, આ પેસ્ટને પાણીમાં નાંખો અને જથ્થો અડધો થઈ જાય ત્યાં સુધી તેને ઉકાળો. હવે તેને ઠંડુ થવા દો અને સવારે ખાલી પેટે પીવો. તેનું નિયમિત સેવન કરવાથી સાંધાને લગતી ઘણી સમસ્યાઓ પણ દૂર થશે. પારિજાતના બીજને વાટીને ખરી ટાલ પડે ત્યાં લગાડવામાં આવે છે.

તાવ આવ્યો હોય ત્યારે આદુના રસમાં આના પાનનો રસ મેળવીને આપવાથી તાવ ઊતરે છે. ગૃધસી રોગમાં પણ એનાં પાનનો બનાવેલો ઉકાળો અપાય છે. એનાથી પેટમાં થયેલા કૃમિ દૂર થાય છે. પાનના રસમાં સાકર ભેળવીને આપી શકાય. તાવ ઉતારવા માટે પારિજાતક ઉત્તમ ઔષધ છે.

પારિજાતના તાજા પાનનો રસ દસથી પંદર ટીપાં બાળકને આપતા તેને જુલાબ લાગે છે. જીર્ણજ્વરમાં પણ મધ સાથે ભેળવીને આપી શકાય છે. એનાં પાનનો ધીમા તાપે બનાવેલો ઉકાળો પગ તથા સંધિવામાં લાભદાયક છે. પારિજાતનો ઉપયોગ હૃદયરોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. 15 થી 20 ફૂલો અથવા તેનો રસ સેવન કરવાથી હ્રદયરોગને રોકવામાં અસરકારક સાબિત થાય છે.

જો તાવમાં ટાઢ વાતી હોય બરલ અને લિવર મોટું થયેલું હોય તે તાવ માટે પારિજાતના પાન ના રસમાં મધ, ત્રિકુટ તથા લોહભસ્મ આપવાથી ફિકાશ મટે છે. એની દવા ચાલુ હોય ત્યારે દૂધ, સાકર, ઘી વગેરેનો ઉપયોગ ચાલુ રાખવો જોઈએ. પારિજાતના પાનનો ઉકાળો બનાવીને પીવાથી તાવ ઊતરી જાય છે. દમના દર્દીને કફના વિકારમાં એની છાલનું ચૂર્ણ પાનમાં બે ચારવાર આપવાથી ઘણી રાહત અનુભવાય છે.

પારિજાતનાં પાનનો રસ કાઢીને તેને દાદર ઉપર ચોપડતાં દાદરમાં રાહત થાય છે. ખરજવા, ગલકુંડ, ઉદકમેહ તથા માથાનાં ખોડા ઉપર લગાડવાથી ઘણી રાહત થાય છે. પારિજાતકનાં લગભગ 10 થી 12 પાંદડા ધીમા તાપે બે કપ પાણીમાં ઉકાળો અને અડધો બાકી રહે ત્યારે ગેસ પરથી ઉતારો. જ્યારે શરદી થાય છે ત્યારે તેને સાંજે ખાલી પેટ પર પીવો. એક અઠવાડિયામાં તમે ફરક અનુભવશો. પારિજાતકનાં પાનનો રસ ઝેરી જીવજંતુના કરડ ઉપર લગાડતાં રાહત થાય છે.

પારીજાતના પાનને પીસીને મધમા ઉમેરી સેવન કરવાથી અથવા તો ચામા મિકસ કરી ઉકાળીને પીવાથી હઠીલી ઉધરસ પણ દૂર થાય જાય છે.પારીજાતના એક બીજનુ રોજ વખત સેવન કરવાથી બવાસીર નામનો રોગ દૂર થઈ જાય છે. દાદર દૂર કરવા માટે પારીજાત ના પાન ને પીસી લગાવવાથી ફાયદો થાય છે.

ડેન્ગ્યુ થયા પછી શરીરમા રહેતું કળતર દુર કરવા માટે પારીજાતના પાનનો ઉકાળો કરીને પીવો. આ ઉકાળો ૮ થી ૧૦ દિવસ પીવાથી કળતર દુર થાય જાશે. ચિકનગુનીયા મા પણ પારિજાત ના વૃક્ષ નાં પાન નો રસ પીશો તો ત્રણ દિવસ માં જ ઠીક થઇ જાશે.પેશાબ સાથે જોડાયેલી કોઈ પણ સમસ્યા છે, જેવી કે પેશાબ અટકવો, ટીપું ટીપું કરી ને પેશાબ થવો. પેશાબ કરતી વખતે બળતરા થવી જેવી તકલીફો પારિજાત ના પાન ના રસથી ઠીક થઈ જાય છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *